

મોરબીના યુવા ઉધોગપતિ અરવિંદભાઈ બારૈયાએ ૩૮ માં જન્મ દિવસની પોતાના વતન ટંકારામાં અનોખી રીતે ઉજવણી કરી.યંગ ઇન્ડિયા ગ્રુપની પરંપરાને જાળવી રાખતા પોતાના જન્મદિવસની ઉજવણી “આપવાનો આનંદ” કાર્યક્રમ દ્વારા કરવામાં આવી.જેમાં પછાત વિસ્તારના ૩૦૦ ગરીબ બાળકોને જીવનશૈલીમાં સુધારો થાય અને સ્વાસ્થ્ય પ્રત્યે સભાનતા કેળવાય તે હેતુથી બાળકોને સ્નાન કરવી,નવા કપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને સફળ બનાવવા ટંકારાના સિદ્ધિ વિનાયક ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.