


મોરબી શહેર તેમજ જિલ્લામાં આરોગ્ય વિભાગ અને ઔષધ વિભાગનિષ્ક્રિય હોય તેવું લાગી રહ્યું છેજેને કારણે લોકોને વાસી અને મિલાવટ વાળો ખોરાક પીરસવમાં આવતો હોવાનું જણાવી ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા રોગચાળા સમયે અસરકારક કામગીરી કરવા મંગની ઉઠાવવામાં આવી છે.
મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ લાલજીભાઈ મહેતાના જણાવ્યા મુજબ મોરબી શહેરમાં ગલીએ ગલીએ પાણીપુરી,ભૂંગળા બટેટા તથા અન્ય ખાણી પીણીના લારી,ગલ્લા ધમધમી રહ્યા છે જાહેર વેચાતી આવી ખાદ્ય સામગ્રી ટેસ્ટ કરવાની જેમની જવાબદારી છે તેવા ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ક્યારેય ચકાસણી કરવામાં આવતી નથી.ભેળસેળ માજા મૂકી દીધી છે નાના બાળકોથી માંડી મોટી ઉમરના સ્વાદ માણવા લારી ગલ્લાએ ટોળા મળીને ઉભા હોય છે.બાળકો થીં દવાખાના ઉભરાય રહ્યા છે ત્યારે ફ્રુડ ઇન્સ્પેકટરો ક્યા છે તેની કોઈ ખબર નથી મોરબી-વાંકાનેર-પડધરી-હળવદ અને ટંકારા અબ્ધે આરોગ્ય સાથે ચેડા થાય છે. ઉપરાંત તેઓએ રજુઆત માં મોરબી જિલ્લામાં ધમધમતા મિનરલ વોટરના કારખાનાઓમાં પણ જન આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા હોવાનું જણાવી તમામ કારખાનાઓના આઈએસઆઈ માર્ક તપાસી પગલાં ભરવા માંગણી કરી છે.