

લીલાપર રોડ પર રોડ ક્રોસ કરતા સાત વર્ષના બાળકને પુરપાટ જતા કારના ચાલકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બાળકનું મોત થયું હતું પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મૂળ મધ્યપ્રદેશના વતની હાલ મોરબીના નવાગામ રોડ સોમનાથ પેપરમિલ લેબર કોલોનીમાં રહીને મજુરી કરતા તોફાનભાઈ ધૂમસિંહ ભુરીયા (ઉ.વ.૩૧) વાળાએ કાર જીજે ૩૬ એએલ ૬૧૨૨ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી તા. ૨૭ ના રોજ બપોરે સોમનાથ પેપરમિલમાં કામ કરતો હતો અને સાંજે સાતેક વાગ્યે ફરિયાદીના સાળા દિનેશભાઈ ગમાર જે કંપનીમાં કામ કરતો હોય તે બજારમાં દુકાને જતો હોવાથી દીકરો અલ્પેશ પણ સાથે દુકાને જવા બહાર ગયો હતો અને પંદરેક મિનીટમાં સાળાનો ફોન આવ્યો કે અલ્પેશનું એક્સીડન્ટ થયું છે જેથી ગાડીમાં દીકરા અલ્પેશને ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને મરણ ગયેલ જાહેર કર્યો હતો
આમ ફરિયાદીના દીકરા અલ્પેશ (ઉ.વ.૭) વાળા સાળા સાથે દુકાને ગયો હતો અને સાંજે સવા સાતેક વાગ્યે નવાગામ લીલાપર રોડ પર આજવીટો કંપની સામે રોડ ક્રોસ કરતી વખતે કાર જીજે ૩૬ એએલ ૬૧૨૨ ના ચાલકે પુરઝડપે કાર ચલાવી અલ્પેશને હડફેટે લઈને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે