મોરબીના વતની જીએસટી ઇન્સ્પેકટરની અમદાવાદથી રાજકોટ બદલી, રાજકોટ ઓફિસે ભવ્ય સ્વાગત કરાયું


મૂળ મોરબીના વતની જીએસટી ઇન્સ્પેકટર મહિપાલસિંહ એમ જાડેજા અમદાવાદ ખાતે ફરજ બજાવતા હતા જેઓની તાજેતરમાં બદલી થઇ હતી અને તેઓ અમદાવાદથી રાજકોટ હાજર થયા હતા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું
રાજકોટ કચેરી ખાતે જતીનભાઈ નિમાવત, સંદીપભાઈ ભણવાડિયા, રાજેશભાઈ સોલંકી અને રાજકોટ સ્ટાફ દ્વારા જીએસટી ઇન્સ્પેકટર મહિપાલસિંહ જાડેજાનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમને ભવ્ય આવકાર આપ્યો હતો

