



સૌરાષ્ટ્રના સાવજ ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાની સાતમી પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી લેઉઆ પટેલ સમાજના અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી
સૌરાષ્ટ્રની પાવન ધરતી પર અનેક સંતો-મહંતો અને મહાનુભવોએ જન્મ ધારણ કર્યા છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણનુ મોક્ષધામ પણ સૌરાષ્ટ્રની પવિત્ર ધરા છે ત્યારે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશનુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયાનો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીતના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા નુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મોની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે
ત્યારે તા.૨૯-૭-૨૦૨૬ ના રોજ તેમની સાતમી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી ના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા દ્વારા મોરબીના વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી ગૌ.વા.વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ તકે કૃષિત મંગળજીભાઈ સુવાગીયા, મંગળજીભાઈ સુવાગીયા, રાજદીપભાઈ સુવાગીયા,અનિલભાઈ સુવાગીયા, બાબુભાઈ સુવાગીયા,કિશોરભાઈ સુવાગીયા,નરેન્દ્રભાઈ સંઘાત,નીતિનભાઈ ડોબરીયા,શ્યામભાઈ ભાખર,કાર્તિકભાઈ ભાખર, કેયુરભાઈ ભાખર,હરમીનભાઈ રાબડિયા,મુકેશભાઈ રામાણી,ધર્મેશભાઈ રામાણી,મયુરભાઈ રામાણી,ભરતભાઈ પટેલ, રવજીભાઈ પટેલ સહીતના લેઉવા પટેલ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી


