મોરબીના શિક્ષકશ્રીનો અનોખો જ્ઞાનયજ્ઞ : 17 સહભાગીઓએ બે માસમાં 100 સુભાષિત યાદ કર્યા

 

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર દ્વારા વર્ષ 2025 થી સંપૂર્ણ ગીતા યાદ કરનારને गीताभूषणः તેમજ સંસ્કૃતના અમૂલ્ય રત્નો સમા 100 સુભાષિત યાદ કરનારને शतसुभाषितपण्डितः એવોર્ડ આપવામાં આવે છે. હાલમાં મોરબીની ધી વી સી ટેકનિકલ હાઇસ્કુલ ખાતે સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવતા ધવલભાઈ ખાંડેકાએ ગત વર્ષે ગાંધીનગર મુકામે આદરણીય શિક્ષણમંત્રીશ્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા, સંસ્કૃત બોર્ડના અધ્યક્ષશ્રી હિમાંજય પાલીવાલજી તેમજ વિશિષ્ટ મહાનુભાવોના હસ્તે ઉપરોક્ત બન્ને રાજ્યકક્ષાના એવોર્ડ મેળવેલ છે, ત્યારે આ પરંપરા સતત પ્રવાહિત રહે તેમજ સંસ્કૃત અને સંસ્કૃતિમાં નાનકડું યોગદાન આપી શકે તે હેતુથી તેઓએ  મે 2026 વેકેશન દરમિયાન ગૂગલ મીટ દ્વારા 100 સુભાષિત શીખવાડવા માટે અભ્યાસ વર્ગ શરૂ કર્યા, આ પ્રથમ વર્ગમાં 30 થી પણ વધારે આબાલવૃદ્ધ પ્રતિભાગીઓ જોડાયા તેમજ વર્ગના અંતે આશરે 17 થી પણ વધારે સહભાગીઓએ 100 સુભાષિત યાદ કરીને વર્ગને સફળ બનાવ્યો છે

 

આ વાતની સફળતા એથી પણ લઈ શકાય  કે આ વર્ગમાં 12 વર્ષથી લઈ 80 વર્ષ સુધીના પ્રતિભાગીઓ જોડાયા હતા. સાથે જ ગુજરાતના અલગ અલગ વિસ્તારથી જોડાયા હતા, જેમકે સુરતથી સુરેશભાઈ ગાંધી, અમિતાબેન શુક્લા, હિરણ્યાબેન શુક્લા, શીતલબેન મુનીમ, અનસૂયાબેન શાહ અને મુસ્કાન શાહ વગેરે જોડાયા હતા. અમદાવાદથી જાગૃતિબેન ઠાકર તેમજ રેની પંચાલ જોડાયા હતા. રાજકોટથી ગીતાબેન પટવારી, જ્યોત્સનાબેન આભાની, ચૌહાણ સેજલ તેમજ ફાતેમા પ્રેસવાલા જોડાયા હતા. બોટાદથી ચૌહાણ ચંદન, ચૌહાણ તેજલ, ચૌહાણ અક્ષિતા, ચૌહાણ દીપિકા, રાઠોડ રિદ્ધિ, રાઠોડ પૂજા વગેરે વિદ્યાર્થીઓ જોડાયા હતા. મોરબીથી દ્રષ્ટિ ત્રિવેદી  અને દૂર્વા વરણવા તેમજ ડાકોરથી આરાધ્યા રાજગોર તેમજ મુંબઈથી પણ એક વિદ્યાર્થિની હિશા જોશી વગેરે જોડાયા હતા. આમાં  પ્રાથમિક, માધ્યમિક તેમજ કોલેજમાંથી તો ખરા જ પરંતુ કેટલાય પ્રતિભાગીઓ  સદ્ગૃહસ્થો પણ હતા અને તેઓ આ વર્ષની રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ शतसुभाषितपण्डितः ની ડિગ્રી મેળવશે. આ સફળતાનો શ્રેય તેઓ માતાપિતા ,પોતાના ગુરુજનો, સંસ્કૃત બોર્ડ ગાંધીનગર તેમજ સંસ્કૃત સમાજને અર્પણ કરે છે.

 

Leave A Reply

Your email address will not be published.