


થોરાળા-પંચાસર રોડ પર ઇકો કાર અને ટ્રેક્ટર અથડાયા હતા જે અકસ્માતમાં ઇકો કારના ચાલક ૪૪ વર્ષીય આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું પોલીસે ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
મોરબીના નાની વાવડી ગામે રહેતા વિઠ્ઠલભાઈ શીવાભાઈ સનાવડા (ઉ.વ.૭૫) નામના વૃદ્ધે ટ્રેક્ટર જીજે ૧૨ એફડી ૪૩૩૬ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૪ જુનના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે થોરાળા-પંચાસર રોડ પર ફરિયાદીના દીકરા જીતેન્દ્રભાઈ (ઉ.વ.૪૪) વાળા ઇકો કાર જીજે ૩૬ એએફ ૦૮૪૨ લઈને થોરાળા ગામથી ઘરે આવતા હતા ત્યારે ટ્રેક્ટર ચાલકે સામેથી ઇકો કાર સાથે ભટકાડી અકસ્માત કર્યો હતો
જે અકસ્માતમાં ફરિયાદીના દીકરા જીતેન્દ્રને છીતના ભાગે ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે