

મોરબીના જેતપર ગામે ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણીમાં બે માસથી ખેડૂતો વીજ લાઈન વળતર સહિતના મુદે લડત ચલાવી રહ્યા છે અવનવા કાર્યક્રમો થકી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જેમાં આજે રાત્રે નાટક ભજવાશે
ગુજરાત ખેડૂત સત્યાગ્રહ છાવણી જેતપર ખાતે તા. ૦૯ ને રવિવારે રાત્રે ૯ કલાકે ખેડૂત હાર્યો તો દેશ હાર્યો નાટક ભજવવામાં આવશે ખેડૂત પુત્રી દ્વારા એક ભાવુક, પ્રેરણાદાયી અને હૃદયસ્પશી નાટ્ય રજૂઆત કરવામાં આવશે જે નાટક નિહાળવા ખેડૂત પરિવારોને નિમંત્રણ પાઠવ્યું છે