વાંકાનેર નેશનલ હાઈવે પર રીક્ષા રોડથી નીચે ઉતરી પલ્ટી મારી ગઈ, એક યુવાનનું મોત

એક યુવાનનું મોત થયું જયારે રિક્ષાચાલક સહીત બેને ઈજા પહોંચી

 

 

મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર રીક્ષા ચાલકે કાબુ ગુમાવતા રોડથી નીચે ઉતરી રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જે અકસ્માતમાં રીક્ષા ચાલક સહીત બે યુવાનોને ઈજા પહોંચી હતી જયારે એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું વાંકાનેર સીટી પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

 

વાંકાનેરના પીપળીયા રાજ ગામે રહેતા યાકુબ અલાવદીભાઈ ભોરણીયાએ સીએનજી રીક્ષા જીજે ૩૬ ડબલ્યુ ૩૦૯૩ ના ચાલક મકસુદ ફકરૂદીન કડીવાર રહે પીપળીયા રાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૦ ના રોજ સાંજે મોટા ભાઈ નઝીરહુશેનના દીકરા સાકીરનો ફોન આવ્યો અને જણાવ્યું હતું કે સાકીર, તેનો ભાઈ અકરમરજા બંને ગામના મકસુદ કડીવારની રીક્ષામાં મોરબી આરટીઓ કચેરીથી રીક્ષા લઈને ઘરે આવતા હતા સાકીર અને અકરમરજા બંને પાછળ બેઠા હતા અને મકસુદ રીક્ષા ચલાવતો હતો મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર આઈ.બી.ઝા. કારખાના પાસે પહોંચ્યા ત્યારે મકસુદ રીક્ષા પુરઝડપે ચલાવતો હતો અને કાબુ ગુમાવી દેતા રીક્ષા રોડ પરથી નીચે ઉતરી ગઈ જઈને પલ્ટી મરી ગઈ હતી

 

જે અકસ્માતમાં સાકીરને સામાન્ય ઈજા થઇ હતી અને અકરમરજાને મુંઢ ગંભીર ઈજા પહોંચી હતી અને કાઈ બોલ્ચ્તા ચાલતા ના હતા રીક્ષા ચાલક મકસુદને સામાન્ય ઈજા પહોંચી હતી જેથી ત્રણેય એમ્બ્યુલન્સમાં વાંકાનેર સરકારી દવાખાને જતા હોવાની માહિતી આપી હતી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ગયા જ્યાં ભત્રીજા અકરમરજા અબ્દુલભાઈ ભોરણીયા (ઉ.વ.૩૪) રહે પીપળીયારાજ તા વાંકાનેર વાળાનું મોત થયું હતું જયારે સાકીર અને રીક્ષા ચાલક મકસુદને ઈજા પહોંચી હતી આમ રીક્ષા ચાલકે અકસ્માત કરી ભત્રીજા સાકીર નઝીરહુશેન ભોરણીયાને સામાન્ય ઈજા કરી તેમજ ભત્રીજા અકરમરજા અબ્દુલ ભોરણીયાને ગંભીર ઈજા પહોંચાડી મોત નીપજાવ્યું હતું વાંકાનેર સીટી પોલીસે રીક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.