સગીરાનું શિયળ લુંટનારા શખ્શો ઝડપાયા

ચોટીલા લઇ જઈને સગીરાનું સર્વસ્વ લુંટી લીધું હતું.

મોરબીના વાવડી ચોકડી નજીકની રહેવાસી સગીરાને ગત તા. ૨૫ ના રોજ ને કેટરસ માં લઇ જવાનું કહી ભારતીબેન સતવારા ,જીવરાજ પરમાર અને કાંતિલાલ ડાભી સહિતના ૩ શખ્સો ચોટીલા તરફ લઇ ગયા હતા જ્યાં ભારતીબેન અને જીવરાજ સગીરાને ઢીકા પાટુંનો માર માર્યો હતો અને કાંતિલાલ ડાભી નામના યુવાને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું  તેમજ આ મામલે કોઈને કાઈ જાણ કરી તો સગીરા તેમજ તેના પરિવાર ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે સઘળી હકીકત સગીરાએ પોતાના પરિવારને જણાવ્યા બાદ આ મામલે તેના પિતાએ એ ડીવીઝન પોલીસમાં મહિલા સહીત ત્રણ સામે દુષ્કર્મ અંગે ફરિયાદ નોંધાવી હતી. સગીરા દુષ્કર્મ મામલે એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ પોસ્કો, દુષ્કર્મ તેમજ  જાનથી મારી નાખવાની ધમકી અને અપરહણ સહિતના ગુન્હા નોંધીને આ મામલે વધુ તપાસ પી.આઈ. વી.વી.ઓડેદરા ચલાવી રહ્યા છે જેમાં દુષ્કર્મના મુખ્ય આરોપી કાંતિલાલ ડાભી અને મદદગારી કરનાર જીવરાજ પરમાર તેમજ મદદગારી કરનાર મહિલા ભારતીબેન સતવારા એ  ત્રણેય આરોપીને પોલીસે દબોચી લીધા છે.

Comments
Loading...
WhatsApp chat