વાંકાનેર જડેશ્વર લોકમેળામાં પરિવારથી વિખુટા પડેલા બાળકનું પોલીસે સુખદ મિલન કરાવ્યું

 

વાંકાનેર ખાતે તાજેતરમાં યોજાયેલા લોકમેળામાં બાળક પોતાના માતાપિતાથી જુદું પડી ગયું હતું અને ખોવાઈ જતા વાંકાનેર તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ હેઠળ બાળકનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું

 

પોલીસ મહાનિરીક્ષક સરહદી રેંજ ભુજ, પોલીસ અધિક્ષક મોરબી અને નાયબ પોલીસ અધિક્ષક તરફથી વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિર ખાતે આયોજિત ત્રણ દિવસીય લોકમેળામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સુચના આપવામાં આવી હોય અને રાજ્યમાં ઓપરેશન મિલાપ ચાલી રહ્યું હોય જે અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ ટીમ જડેશ્વર મેળામાં બંદોબસ્તમાં ગોઠવાયેલ હતી ત્યારે આરોહિત અજીતભાઈ સીતાપરા નામની બે વર્ષની બાળકી મળી આવી હતી જે પરિવારથી વિખુટી પડી ગઈ હતી જેથી પોલીસે વાલીવારસને શોધી કાઢી પિતા અજીતભાઈ રણજીતભાઈ સીતાપરા રહે જેતપરડા તા વાંકાનેર વાળાની ખરાઈ કરી બાળકી પરિવારને સોપી હતી

Leave A Reply

Your email address will not be published.