

મોરબીના રવાપર રોડ પર અમૃતનગર ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જ્યાં પ્રતિદિન મહાઆરતી, પૂજન કરવામાં આવે છે
ત્યારે ગણેશ મહોત્સવ ઉપરાંત બાળકો માટે પ્રતિદિન વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે જેમાં આસપાસની અનેક સોસાયટીના ૩૦૦ થી વધુ બાળકો વિવિધ સ્પર્ધામાં ભાગ લેતા હોય છે નાના બાળકોને વિવિધ રમતો રમાડી, પ્રોત્સાહનરૂપે ઇનામો આપી ખુશ કરવામાં આવે છે રાત્રીના ૯ થી ૧૦ કલાકે વિવિધ સ્પર્ધાઓ યોજાય છે જેમાં બાળકો ઉત્સાહભેર ભાગ લઇ રહ્યા છે


