મોરબી : સીમા જાગરણ મંચ દ્વારા રવિવારે ઝીંઝુડા ગામે સીમા સંમેલન યોજાશે

 

સુરક્ષા, સંગઠન અને સ્વાવલંબ્નના ઉમદા હેતુ સાથે કાર્યરત સીમા જાગરણ મંચ દ્વારા તા. ૦૩ ને રવિવારે સાંજે ૫ કલાકે શ્રી કાનસ્વામી બાપુની જગ્યા ઝીંઝુડા ગામે સીમા સંમેલન કાર્યક્રમ યોજાશે

ભારતીય સીમાઓની સુરક્ષા અને સીમાવર્તી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રાષ્ટ્રીય ચેતના જગાવવાના ભગીરથ હેતુથી સીમા સંમેલન યોજાશે જેમાં રાષ્ટ્ર સુરક્ષા સરહદી વિસ્તારોમાં જન જાગરણ, સંગઠન શક્તિ એટલે કે રાષ્ટ્રીય ચેતનાનું નિર્માણ અને સ્વાવલંબન : સીમાવર્તી ગામોનો સામાજિક-આર્થિક વિકાસના મુખ્ય લક્ષ્યો સાથે સંમેલન યોજાશે

Leave A Reply

Your email address will not be published.