

રાજ્યના નાયબ મામલતદારને અંતે સરકારે મામલતદાર તરીકે પ્રમોશન આપ્યા છે.રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મામલતદારોની બદલી કરવા હુકમ કરી 227 નાયબ મામલતદારને મામલતદાર તરીકે પ્રમોશન આપવા હુકમ કર્યો છે જે અંન્વયે મોરબી જિલ્લામાં ફરજ બજાવતા થડોદાભાઈ, હડિયલભાઈ,સતાણીભાઈ અને તાવીયાડભાઈ ને મામલતદાર તરીકે બઢતી મળી છે. પ્રમોશન માટે સિનિયોરિટી અંગે લાંબા કાનૂની જંગ બાદ અવરોધો દૂર થતા બઢતી આપવામાં આવી છે.પરંતુ મોટાભાગના પ્રમોશન મેળવનાર નાયબ મામલતદારો નિવૃત્ત થવાને આરે ઉભા છે.