પોલીસ પાસેથી મળતી વિગત મુજબ મોરબીના જુના નાગડાવાસમાં રેહતા હસમુખભાઈ જેસંગભાઈ ખાંભરા વાળાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેના કાકા નારણભાઈ જલાભાઇ આજે પોતાની ટ્રેક્ટર લઈને મોરબી બાજુ આવતા હતા ત્યારે નાગડાવાસ ગામના પાટિયા પાસેથી પસાર થતા ટ્રેઇલર નં આર.જે ૫૨ જી.એ ૫૩૯૪ ના ચાલકે ટ્રેક્ટર ને ઠોકર મારતા ટ્રેક્ટર ના ચાલક નારણભાઈ જલાભાઇને ગંભીર ઈજા થતા તેનું મોત નીપજ્યું હતું ઘટના બાદ ટ્રેલઈર ચાલક ત્યાંથી નાસી ગયો હતો આ અગે તાલુકા પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે