


મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડનો આજે જન્મદિવસ છે. તા. ૦૯ ઓગસ્ટના રોજ જન્મેલા જયપાલસિંહ રાઠોડ છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી મોરબી જીલ્લા પોલીસવડા તરીકે ફરજ બજાવી રહ્યા છે. જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજી ટીમે અનેક ગંભીર ગુન્હાઓના ભેદ ઉકેલી નાખ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિતે પોલીસ પરિવાર, તેમનો પરિવાર, સ્નેહી-મિત્રો તેમજ મોરબી ન્યુઝની ટીમ જન્મદિવસની શુભકામનાઓ પાઠવે છે.

