મોરબીમાં રવિવારે અષાઢી બીજ નિમિતે મચ્છુ માતાજીની રથયાત્રા નીકળશે.

સમસ્ત ભરવાડ તથા રબારી સમાજના મચ્છુ માતાજી અને પુનિયા મામાના પ્રાગટ્યદિન નિમિતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.આ રથયાત્રા અષાઢી બીજને તા.૨૫ રવિવારના રોજ સવારે ૯:૩૦ કલાકે મચ્છુ માતાજીની જગ્યા મહેન્દ્રપરા,શેરી નં-૧૭ માંથી નીકળી શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈને મચ્છુ માતાજી મંદિર(કોઠે),દરબાર ગઢ પહોચશે.ત્યારબાદ બપોરેના સમયે  મહાપ્રસાદ(ફરાળ),ચા-પાણી તેમજ રાત્રીના ૧૦:૦૦ વાગ્યાના સુમારે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું  છે.ભગત શ્રી  ગાંડુંભગત બીજલભગત ગોલતર,શ્રી મચ્છુ મિત્ર મંડળ દવારા લોકોને બહોળી સંખ્યામાં પધારી દર્શનનો લાભ લેવા ભાવ ભયું આમત્રણ પાઠવામાં આવ્યું છે.

Leave A Reply

Your email address will not be published.