

શુક્રવારે જન્માષ્ટમી પર્વે સમગ્ર દેશમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા નિમિતે દરેક શિવાલયો સહિતના મંદિરોમાં પણ શણગાર અને મહા આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના ગ્રીન ચોક નજીક આવેલ શ્રી કુબેરનાથ મહાદેવ મંદિર ખાતે ગર્ભગૃહમાં શ્રી કૃષ્ણની સુંદર રંગોળી કરવામાં આવી હતી જેના દર્શન કરી ભક્તો અભિભૂત થયા હતા

