મોરબીની કલરવ હોસ્પીટલમાં પુષ્પનક્ષત્રમાં નિશુલ્ક સુવર્ણ પ્રાશન ટીપા પીવડાવવાનો કેમ્પ યોજાશે

 

પુષ્પ નક્ષત્ર નિમિત્તે જેમ આ વર્ષે પણ મોરબીમાં બાળકો માટે નિઃશુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી તા. 11 ઓગસ્ટ 2026, મંગળવારના રોજ સવારે  ૮:૦૦થી  સાંજે ૮:૦૦ વાગ્યા સુધી આ કેમ્પ, કલરવ હોસ્પિટલ શનાળા રોડ, મહેશ હોટેલની બાજુમાં યોજાશે.

આ  એક આયુર્વેદિક ઈમ્યુનાઈઝેશન છે જેનાથી બાળકોની રોગપ્રતિકારક ક્ષમતા વધે છે તથા બાળકમાં સ્મૃતિ અને મેઘા વધે છે, ૦થી ૧૫ વર્ષ સુધીના નાના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપાંનો લાભ અપાવવા માટે મોરબીની તમામ સોસાયટીઓના વાલીઓને પોતાના બાળકો સાથે કેમ્પમાં ઉપસ્થિત રહેવા વિનંતી કરવામાં આવી છે.

કેમ્પનું આયોજન કલરવ હોસ્પિટલ શનાળા રોડ મોરબી તથા શનાળ ઘુનડા રોડ પર , શનાળા પટેલ સમાજ વાડી સામેનો રોડ પર આર્યગ્રામ સોસાયટી તથા આર્યગ્રામ સામે સંજીવની ક્લિનિક ડો પૂજાબહેન લોરિયાની કલિનિકમા સાંજે ૫ થી ૭ , મોરબી ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.કલરવ‌ હોસ્પિટલ  તથા કોમલબેન પનારા તથા ડો પૂજા બહેન લોરિયા દ્વારા નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટ દ્વારા આ પ્રકારના સુવર્ણપ્રાશન કેમ્પ મોરબી સહિત વિવિધ સ્થળોએ યોજાતા હોય છે,

 

કલરવ મેટરનિટી હોસ્પિટલ

મોરબી

ડો જયેશભાઇ પનારા

મોબાઈલ

૯૪૦૯૧૨૬૭૬૭

૮૪૬૯૧૨૬૭૬૭

Leave A Reply

Your email address will not be published.