

મોરબીમાં સમસ્ત સોની મહાજન સમાજમાં એકતા અને ભાતૃભાવના નિરંતર વહેતા ઝરણાં વચ્ચે જ્ઞાતીગંગાના વિરાટ દર્શનનો લ્હાવો મળશે,આગામી રવિવારે મોરબીમાં મહાજનોનો મેળાવડો જામશે, સમસ્ત સોની મહાજન સમાજ મોરબી દ્વારા પંચાઉં સમૂહ જ્ઞાતિભોજનનો ભવ્ય મનોરથ રાખેલ છે.
પવિત્ર અધિકમાસમાં દશા શ્રીમાળી વણિક જ્ઞાતિની ભોજનશાળા,બેન્ક ઓફ બરોડા સામે,જુના બસસ્ટેન્ડ નજીક,મોરબી ખાતે સાંજે 7 વાગ્યાથી યોજાનાર પંચાઉં જ્ઞાતિ ભોજનના ભવ્ય મનોરથમાં મોરબીમાં વસતાં સર્વે જ્ઞાતિજનોને સહપરીવાર તથા મુળ મોરબીના હાલ બહારગામ વસતાં સર્વે જ્ઞાતિજનોને સહપરીવાર આ જ્ઞાતિગંગાનો પ્રસાદ લેવા પધારવાનુ ભાવભર્યુ આમંત્રણ પાઠવાયું છે



