મોરબીના લીલાપર રોડ પર લેબર કોલોનીમાં શ્રમિકે ગળેફાંસો ખાઈ જીવન ટુકાવ્યું

મોરબીના લીલાપર રોડ પર આવેલી એક પેપરમીલની લેબર કોલોનીમાં ૨૨ વર્ષના એક પરપ્રાંતીય યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

ઘટનાની વિગતવાર માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લીલાપર રોડ પર મારુતિ પોલીપેક કારખાના સામે આવેલી ‘તીર્થક પેપરમીલ’ની લેબર કોલોનીમાં રહેતા પ્રવીણભાઇ અમરસીંગ રાવત (ઉં.વ. ૨૨) નામના યુવાને પોતાના રહેણાંક રૂમમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. આ અંગે મૃતકના નાના ભાઈ અરવિંદભાઇ અમરસીંગ રાવતે પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ મોરબી તાલુકા પોલીસે યુવકે ક્યા કારણોસર ગળેફાંસો ખાધો છે એ અંગે તપાસ હાથ ધરી છે.

Leave A Reply

Your email address will not be published.