

આલાપ રોડ પર આવેલી તિરુપતિ સોસાયટીમાં રહેતા ૫૦ વર્ષીય આધેડે પોતાના નિવાસસ્થાને કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે આ મામલે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, આલાપ રોડ પર રામાપીરના મંદિર વાળી શેરીમાં આવેલી તિરુપતિ સોસાયટીમાં રહેતા અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા (ઉંમર ૫૦) એ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે પ્રૌઢે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.


