જેતપર ઉપવાસ આંદોલનમાં બે આંદોલનકારી મહિલાઓની તબિયત લથડતા હોસ્પિટલ ખસેડાયા

અગાઉ બે પુરુષ ઉપવાસીની તબિયત બગડી હતી

 

મોરબીના જેતપર ગામે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈન મામલે ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે જેમાં કુલ છ પુરુષ અને ૩ મહિલાઓ ઉપવાસી છાવણીમાં બેસી વિરોધ કરી રહ્યા છે અગાઉ એક ઉપવાસીની તબિયત બગડી હતી તો કાલે સોમવારે નીલેશ એરવાડિયાની તબિયત લથડી હતી અને બાદમાં સાંજે બે મહિલા આંદોલનકારીની તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

 

જેતપર ગામે ગત તા. ૧૮ ના રોજ ઉપવાસ આંદોલન શરુ કરવામાં આવ્યું હતું જેમાં પાંચ ખેડૂતો જોડાયા હતા બાદમાં સંખ્યા વધતા હાલ ૬ પુરુષ અને ૩ મહિલાઓ ઉપવાસી છાવણીમાં વિરોધ કરી રહ્યા છે અગાઉ બે પુરુષ આંદોલનકારીની તબિયત બગડી હતી તો સોમવારે આમરણાંત ઉપવાસ પર બેઠેલા બે મહિલાની તબીયત લથડી હતી નિર્મલાબેન રામજીભાઈ અઘારા અને દક્ષાબેન દીપકભાઈ અમૃતિયાની તબિયત લથડી હતી જેથી બંનેને જેતપર સરકારી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે તો આંદોલનકરીઓ વળતર મુદેની માંગણીઓ નહિ સ્વીકારાય ત્યાં સુધી લડી લેવા મક્કમતા દર્શાવી હતી

 

Leave A Reply

Your email address will not be published.