વાંકાનેરમાં મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ત્રીજો સમૂહ લગ્નોત્સવ યોજાશે

 

ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેરના ઉપક્રમે ત્રીજો સમૂહ લગ્નોત્સવ તા. ૧૬ ને ગુરુવારે જાલી બસ સ્ટેશન, થાન રોડ વાંકાનેર ખાતે આવેલ ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર ખાતે યોજાશે

 

જેમાં તા. ૧૬ ને ગુરુવારે સવારે ૬ થી ૧૨ કલાક સુધી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે અને સવારે ૧૦ થી ૧૨ સુધી મહાપ્રસાદ યોજાશે તેમજ તા. ૧૬ ને ગુરુવારે સમૂહ લગ્નોત્સવ યોજાશે તે ઉપરાંત સન્માન કાર્યક્રમ પણ યોજાશે જે સમૂહ લગ્નોત્સવમાં ૧૬ નવદંપતી પ્રભુતામાં પગલા માંડશે

Leave A Reply

Your email address will not be published.