પવિત્ર શ્રાવણ માસમાં તહેવારોની સીઝન ચાલુ, તહેવારો ક્યારે છે ? જાણો શાસ્ત્રીજી કૃષ્ણચંદ્ર દવે પાસેથી….

 

સનાતન ધર્મમાં અતિ પવિત્ર મનાતા  શિવ પ્રિય શ્રાવણ માસના વિવિધ તહેવારોની સિઝન ચાલુ થઈ રહી છે ત્યારે સનાતન ધર્મના મુખ્ય તહેવારો ક્યારે છે? તે  ચાલો જાણીએ મોરબીના શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે પાસેથી.

 

બોળચોથ ( બહૂલા ચતુર્થી):-

શ્રાવણ વદ ૪ ને સોમવાર તા.31/8/2026 ને સવારે 8.50  બાદ ગાય પૂજન

 

નાગપંચમી :-  શ્રાવણ વદ ૫ ને તા.1/9/2026 ને મંગળવાર  નાગદેવતા નું પૂજન કરવું.

 

રાંધણછઠ :- શ્રાવણ વદ ૬ તા .2/9/2026 ને બુધવાર ના   રાંધણછઠ રહેશે. જે તિથિને હળષષ્ઠી, ચંદન છઠ , હલ છઠ તરીકે ઓળખવામાં આવે છે. અને આ દિવસે બલરામજી ની પ્રાગટ્ય દિવસ હોય બલરામજયંતી પણ ઉજવવામાં આવે છે.

 

છઠ્ઠ ના દિવસે ચૂલા ઠારવાના સાંજના મુર્હૂત

સાંજે ૩:૩૬ થી ૬.૫૬ સુધી (ચલ,લાભ)

અને રાત્રે ૮.૨૧ થી ૧૨.૩૬ સુધી ( શુભ અમૃત ચલ)

 

 

શીતળા સાતમ :-  શ્રાવણ વદ ૭ તા.3/9/2026  ને ગુરુવાર

 

જન્માષ્ટમી( શ્રી કૃષ્ણ જન્મોત્સવ) :- શ્રાવણ વદ ૮ તા. 4/9/2026ને  શુક્રવાર

 

ભાગવતાચાર્ય / પ્રખર પ્રવક્તા

શાસ્ત્રીજી શ્રી કૃષ્ણચંદ્ર દિલીપભાઈ દવે

(સંસ્કૃત વિશારદ,વાસ્તુ માર્ગદર્શક,જયોતિષરત્નમ) મો.8000911444

Leave A Reply

Your email address will not be published.