મોરબી પાલિકાના ઉપપ્રમુખ અનીલ મેહતા આપ્યું રાજીનામું

સ્થાનિક રાજકારણમાં આવ્યો ગરમાવો

મોરબી પાલિકાના પ્રમુખ નયનાબેન મહેશભાઈ રાજ્યગુરુ અને અને કોંગ્રેસના ટેકાથી ઉપપ્રમુખ ચુંટણીમાં વિજેતા ડો.અનિલભાઈ મહેતા એ બંને સામે કોંગ્રેસના ૨૨ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી . કોંગ્રેસના ૨૨ સદસ્યોએ શાસક પક્ષના પ્રમુખ તથા ઉપપ્રમુખ વહીવટની અણઆવડત, પાલિકાની વિવિધ કમિટીની રચના કરવામાં નિષ્ફળતા તેમજ પાલિકાનું બોર્ડ અવારનવાર બોલાવીને રદ કરીને પ્રજાકીય પ્રશ્નો ઉકેલવામાં નિષ્ફળતા સહિતના કારણો દર્શાવીને અવિશ્વાસની દરખાસ્ત કરવામાં આવી છે. પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તને પગલે ફરીથી સ્થાનિક રાજકારણ ગરમાયું હતું ત્યારે આવતીકાલે પાલિકા ઉપપ્રમુખ અનીલ મેહતાની અવિશ્વાની દરખાસ્ત મામલે સાધારણ સભા યોજવાની હતી પણ આ સભા યોજાય તે પેહલા તો પાલિકના ઉપપ્રમુખ અનીલ મેહતા એ આજે રાજીનામું આપી દેતા સ્થાનિક રાજકારણમાં ગરમાવા આવ્યો છે

Comments
Loading...
WhatsApp chat