

મોરબીના વાધપર-સોખડા સીમમાં વાડીમાં રહેતી તરુણીએ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની માહિતી મળી છે જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના વાધપર-સોખડા સીમમાં મહેન્દ્રભાઈ જીવાભાઈ ની વાડીમાં રહેતા સેજલબેન સવાભાઇ પરમાર (ઉ.૯) એ ગત તા.૨૭ ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે તો તપાસ અધિકારી એ પી જાડેજાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં સેજલબેન રમતા રમતા ભૂલથી દવા પી ગઈ હોવાની માહિતી મળી છે અને વધુ તપાસ ચાલુ છે