

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 108 એમ્બ્યુલન્સ સ્ટાફને પૂરતા પ્રમાણમાં રજા ન મળવા,GVK દ્વારા થતા શોષણ ઉપરાંત પગાર વધારો કરવામાં ન આવતો હોવાથી હડતાલ પર જવાની ચીમકી સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે.જેમાં 108 એમ્બ્યુલન્સ સ્ટાફના ૪૦ થી વધુ કર્મચારીઓ દ્વારા પોતાની પડતર માંગણી અને ખાસ કરીને પગાર વધારાની મુખ્ય માંગ સાથે હઽતાલ ઉપર ઉતરી જવા ચીમકી આપવામાં આવી છે.તેમજ તેમની માંગણી સંતોષવામાં નહિ આવે તો મોરબી જીલ્લમાં ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા બંધ કરીને ભૂખ હડતાલ પર જાવ સુધીની ચીમકી ઉચ્ચારી છે.