મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા 180 વિધવા બહેનોને સાડી વિતરણ…

 

વસ્ત્રદાન એ ઉત્તમ દાન છે તે કહેવત ને સાર્થક કરતા વર્ષ 2017 થી દર વર્ષે 29 મી જાન્યુઆરીએ પોતાના જન્મદિવસ ના દિવસે મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના  પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રીમતી પ્રીતિબેન કિશોરભાઈ દેસાઈએ  કાયમી પ્રોજેક્ટ તરીકે 180 જેટલી વિધવા  તેમજ જરૂરિયાત મંદ બહેનોને સાડી વિતરણ કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી .આ સાથે સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી દર વર્ષે એટલે કે સતત નવમાં વર્ષે આ પ્રોજેક્ટ કાયમી પ્રોજેક્ટ તરીકે પ્રીતિબેન દેસાઈના આર્થિક સહયોગથી કરવામાં આવે છે.

 

સેવાકીય કાર્યો તેમજ જરૂરિયાત મંદ લોકોને કઈ રીતે ઉપયોગી થઈ શકાય તે માટે સતત  વિચારશીલ તેવા પ્રીતિબેન દેસાઈ ઇન્ડિયન લાયોનેસ ક્લબ માટે હંમેશા આધાર સ્તંભ રૂપ રહ્યા છે. સંસ્થાની શરૂઆતથી અત્યાર સુધીમાં નાના મોટા દરેક પ્રોજેક્ટમાં તેઓનો સિંહ ફાળો રહ્યો છે

 

આ તકે સંસ્થાના પ્રેસિડેન્ટ ડોક્ટર સુષ્માબેન દુધરેજીયા ફાઉન્ડર શોભનાબા ઝાલા પાસ્ટ પ્રેસિડેન્ટ નયનાબેન બારા તેમજ ઈમીડીયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ મયુરીબેન કોટેચા તેમજ સમગ્ર ટીમે તેઓને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી.

 

Leave A Reply

Your email address will not be published.