હળવદના ઢવાણા ગામે રૂમમાં ગળેફાંસો ખાઈ આધેડનો આપઘાત

 

ઢવાણા ગામના રહેવાસી ૪૫ વર્ષીય આધેડ પોતાના મકાનના રૂમમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

 

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના ઢવાણા ગામમાં રહેતા માનસિંગ ફુસલભાઈ દૂધરેજીયા (ઉ.વ.૪૫) નામના આધેડ તા. ૧૪ ના રોજ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો જેને પગલે આધેડનું મોત થયું હતું હળવદ પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.