ઈન્ડીયન મેડીકલ એસોશિયેશન-મોરબી બ્રાંચ દ્વારા ડોક્ટરસ ડે ની અનોખી રીતે ઉજવણી કરી

ડર્મેટોલોજીસ્ટ ડો. જયેશ સનારીયા દ્વારા “સફળ અને સારી રીતે ક્લિનિક
કઈ રીતે ચલાવવું?” વિષય પર ડોક્ટરસ ડે ના દિવસે માર્ગદર્શન આપ્યું
હરહંમેશ નવતર અભિગમો માટે સમગ્ર ગુજરાત મા ખ્યાતનામ મોરબી આઈ.એમ.એ. બ્રાંચ દ્વારા શહેરના આઈ.એમ.એ. હોલ ખાતે સમગ્ર મોરબીની હોસ્પીટલના ડોક્ટરો માટે ટ્રેનિંગ સેમિનારનુ આયોજન કરવામા આવ્યુ હતુ.
આ સેમિનારમા મોરબીની ખ્યાતનામ સ્પર્શ સ્કીન & કોસ્મેટીક ક્લીનીક વાળા ડો. જયેશ ભાઈ સનારીયા દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. જે અંતર્ગત દર્દીઓ સાથે કઈ રીતે વર્તન કરવુ, તેને કઈ રીતે મહતમ સુવિધાઓ પુરી પાડી સારવાર કરવી, દર્દીના સગાઓ સાથે કઈ રીતે વ્યવહાર કરવો, તે ઉપરાંત દર્દી ની સારવાર દરમિયાન કઈ બાબતો ની કાળજી રાખવી, સારવાર પૂર્ણ થયા બાદ દર્દીઓ નો સમયાંતરે સંપર્ક કરી તેને આરોગ્ય વિષયક માર્ગદર્શન પુરુ પાડવુ, સ્ટાફ દ્વારા કાર્યસંતોષ કઈ રીતે વધારવો, માનવ શક્તિ આયોજન તથા સંચાલન,સ્ટાફને તાલીમ કઈ રીતે આપવી?, બઢતી, પગાર વૃધ્ધિ વગેરે કાર્યલક્ષી બાબતો પર સરળ શૈલીમા માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
જેમા મોરબી ની વિવિધ હોસ્પીટલ માંથી બહોળી સંખ્યામાં અલગ -અલગ બ્રાન્ચ ના નિષ્ણાંત તબિબો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારને સફળ બનાવવા મોરબી આઈ.એમ.એ. બ્રાંચના પ્રમુખ ડો. વિજય ગઢીયા તથા સેક્રેટરી ડો. દીપક અઘારાએ જહેમત ઉઠાવી હતી. અને કોરોના રેમેડીઝ પ્રાઇવેટ લિમિટેડ ફાર્મા કંપની ના એરિયા સેલ્સ મેનેજર અમિતભાઇ મહેતાનૉ સહયોગથી સેમિનાર સફળ રહ્યો હતો.

Comments
Loading...
WhatsApp chat