મોરબીના રફાળેશ્વર ગામેથી ૪૦ હજારનું બાઈક ચોરીની ફરિયાદ

 

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામ પાસે રાખેલ રૂ ૪૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

 

મોરબીના પાનેલી રોડ પરના મચ્છોનગર (રફાળેશ્વર) ગામે રહેતા ગૌતમભાઈ વજુભાઈ વામજા (ઉ.વ.૨૨) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૫-૦૨ ના સાંજના છથી રાત્રીના નવ વાગ્યા દરમીયાન ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એબી ૬૦૬૬ કીમત રૂ ૪૦,૦૦૦ વાળું રફાળેશ્વર ગામે ઓમ એન્જીનીયરીંગ કંપની પાસે ખુલ્લી જગ્યામાં રાખ્યું હતું જે બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

 

Leave A Reply

Your email address will not be published.