

પ્રાચીન પરંપરા અનુસાર અસુરી શક્તિઓ પર વિજય મેળવી અને અધર્મ પર ધર્મની જીત, અન્યાય પર ન્યાયનો વિજય એવા વિજ્યાદશમીના પાવન અવસરે મોરબી મહાનગરપાલિકા દ્વારા રંગારંગ કાર્યક્રમ, રામ લીલા સાથે રાવણ દહન કાર્યક્રમ યોજાશે
મોરબી મહાનગરપાલિકા દ્વારા તા. ૦૨ ને ગુરુવારે સાંજે ૭ કલાકે એલ ઈ કોલેજ ગ્રાઉન્ડ, મોરબી ૨ ખાતે વિજયાદશમી પર્વ નિમિતે રાવણ દહન કાર્યક્રમ યોજાશે રંગારંગ કાર્યક્રમ અને રામ લીલા તેમજ રાવણ દહન કાર્યક્રમ યોજાશે જે ઉત્સવમાં જોડાવવા મોરબીના તમામ નાગરિકોને મોરબી મહાનગરપાલિકાએ જાહેર નિમંત્રણ પાઠવ્યું છે

