

મોરબીના જુના સાદુલકા નજીક આવેલ મચ્છુ ૩ સિંચાઈ યોજના રૂલ લેવલ મુજબ ૯૦ ટકા ભરાઈ ગયો છે અને હજુ પાણીની આવક ચાલુ હોવાથી વધારાનું પાણી નદીમાં છોડવાની જરૂરિયાત ઉભી થઇ છે જેથી નીચાણવાળા વિસ્તારના ગ્રામજનોએ નદીના પટમાં અવરજવર નહિ કરવા અને ઢોર ઢાંખરને નદીના પટમાં ના જવા દેવા સુચના આપવામાં આવી છે
મોરબી તાલુકાના ગોર ખીજડીયા, વનાળીયા, માનસર, નારણકા, નવા સાદુલકા, જુના સાદુલકા, રવાપર (નદી), ગુંગણ, જુના નાગડાવાસ, નવા નાગડાવાસ, અમરનગર, બહાદુરગઢ અને સોખડા તેમજ માળિયા તાલુકાના દેરાલા, મેઘપર, નવાગામ, રાસંગપર, વીરવિદરકા, માળિયા, હરીપર અને ફતેપર સહિતના ૨૧ ગામોને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે