


મોરબી જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદના કારણે સ્થાનિક નાગરિકોની સુરક્ષા અને સલામતી અર્થે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાંકાનેર તાલુકામાં આવેલ જાલી-દેરાળા-રાજસ્થળી-લુણસર માર્ગ પર જાલી થી દેરાળા વચ્ચે તેમજ રાજસ્થળી થી લુણસર વચ્ચે કોઝવે/રસ્તા પર પાણી ફરી વળતા (ઓવરટોપિંગ થતા) સુરક્ષાના ભાગરૂપે આ વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તમામ વાહનચાલકો તેમજ ગ્રામજનોને સુરક્ષાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા, પાણીના ભારે પ્રવાહવાળા બંધ રસ્તા પર અવરજવર કે સાહસ ન કરવા અને તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓને અનુસરીને સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.