મોરબીમાં સ્વ. ધવલભાઈ રાંકજાની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે ૧૭મીએ રક્તદાન કેમ્પ

મોરબીમાં સામાજિક સેવાના ભાગરૂપે આગામી સમયમાં એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વ. ધવલભાઈ ખીમજીભાઈ રાંકજાની સ્મૃતિમાં તેમની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે આ કેમ્પ યોજાશે. રક્તદાન એ જ મહાદાનના સૂત્રને સાર્થક કરવા અને જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી આ સેવાકીય પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે.

આ બ્લડ ડોનેશન કેમ્પ આગામી તારીખ ૧૭/૦૬/૨૦૨૬ ને બુધવારના રોજ યોજાશે. કેમ્પનો સમય સવારે ૮:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે. મોરબીના જીઆઇડીસી મેઇન રોડ પર આવેલા સંસ્કાર ઇમેજીંગ સેન્ટર ખાતે આ કેમ્પનું સ્થળ નિયત કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પનું આયોજન ‘લાયન્સ ક્લબ ઓફ મોરબી – નઝરબાગ’, ‘એડન ગાર્ડન’ અને ‘એચડીએફસી બેંક – મોરબી’ ના સૌજન્યથી કરવામાં આવ્યું છે. આયોજકો દ્વારા મોરબીની રક્તદાતા જનતાને આ કેમ્પમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કરવા માટે અપીલ કરવામાં આવી છે.

Leave A Reply

Your email address will not be published.