

મોરબીના જાંબુડીયા ગામે કોઈ અગમ્ય કારણોસર યુવાને ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આત્મહત્યાના કારનો જાણવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીના જાંબુડીયા ગામે રહેતા નિલેશભાઇ ધિરૂભાઇ સારલા (ઉવ ૩૨) એ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી મૃતકે ક્યા કારણોસર આત્મહત્યા કરી એ શોધવા આગળની તપાસ હાથ ધરી છે.



