મોરબીના કન્યા છાત્રાલયથી હાઈવે સુધીનો રોડ RCC બનાવવા રજૂઆત

 

મોરબીના સરદાર બાગ સામે ઓમ શાંતિ સ્કૂલથી કન્યા છાત્રાલય રોડ જે હાઈવે સુધી પહોંચે છે તેને વહેલી તકે આરસીસી રોડ બનાવવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના સંગઠન મંત્રી સુરપાલસિંહ જાડેજાએ મહાનગરપાલિકાના કમિશ્નરને રજૂઆત કરી છે

 

જે રજૂઆતમાં જણાવ્યું છે કે સરદાર બાગ સામે ઓમ શાંતિ સ્કૂલથી કન્યા છાત્ર્લાય રોડ જે હાઈવે સુધી પહોંચે છે તે રોડ અતિ બિસ્માર હાલતમાં છે આ રોડ પર પાંચ સ્કૂલ, પ્લે હાઉસ અને બે હોસ્પિટલ આવેલ છે આ રોડની હાલત અતિ બિસ્માર છે સ્કૂલના વિદ્યાર્થીઓને તેમજ હોસ્પીટલે જતા દર્દીઓને ખુબ જ તકલીફ પડે છે અવારનવાર વાહન સ્લીપ થવાના બનાવો બને છે ઘણા વિદ્યાર્થીઓ સાયકલ લઈને તેમજ ચાલીને જતા હોય તો ઘણી હાલાકી ભોગવવી પડે છે જેથી વહેલી તકે RCC રોડ બનાવવા માંગ કરી છે

 

Leave A Reply

Your email address will not be published.