

શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ- મોરબી તથા પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ઉમા સંસ્કારધામ મહિલા મંડળ – મોરબી દ્વારા તા. ૧૮ અને ૧૯ ના રોજ રાત્રે ૮ : ૩૦ કલાકે શ્રી કન્યા છાત્રાલય મોરબી ખાતે સંસ્કારી સ્ત્રી, સુસંસ્કૃત સમાજ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે
“સંસ્કારી સ્ત્રી – સુસંસ્કૃત સમાજ” વિષય પર એક વિશેષ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અંકિતાબેન મુલાણી અને બ્રહ્માકુમારી ડો. દામિનીદીદી પ્રેરક પ્રવર્ચન આપશે આ કાર્યક્રમમાં સ્ત્રીઓના સંસ્કાર, સમાજ નિર્માણમાં તેમની ભૂમિકા અને આધ્યાત્મિક માર્ગદર્શન વિષે ચર્ચા કરવામાં આવશે. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ – મોરબી, પાટીદાર વૂમન્સ પાવર ગ્રુપ મોરબી અને ઉમા સંસ્કાર ધામ મહિલા મંડળ મોરબીની ટીમ જહેમત ઉઠાવી રહી છે




