

મોરબી વાંકાનેર હાઈવે પર લાલપર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં મરઘા ભરેલ વાહન અન્ય વાહન સાથે અથડાતા વાહનચાલકને ઈજા પહોંચી હતી તેમજ ગાડીમાં મરઘા ભરેલા હોય અનેક મરઘાના મોત થયાની માહિતી સ્થાનિકો પાસેથી પ્રાપ્ત થઇ છે જોકે બનાવ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ નથી તેમજ કુલ કેટલા મરઘાના મોત થયા તે આંકડો પણ સ્પષ્ટ થયો નથી


