

બરવાળા નજીક આવેલ ફેકટરીમાં કામ કરતા ૩૭ વર્ષીય શ્રમિક યુવાને ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું છે પોલીસે બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના બરવાળા પાસે આવેલ રોયલ પોલીપ્લસ કારખાનામાં રહીને કામ કરતા રણજીત રાજનાથ પાસવાન (ઉ.વ.૩૭) વાળા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું છે મોરબી તાલુકા પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે અને આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે