

વાંકાનેરનાં વધાસીયા ગામની સીમમાં આવેલ કારખાનામાં રહેતા યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
મળતી માહિતી મુજબ વધાસીયા ગામની સીમમાં આવેલ ટી.આર.રીફરેકટ્રીઝ કારખાનામા રહેતા મૂળ રાજસ્થાનના વતની મુન્નાભાઈ રામચન્દ્ર ભીલ (ઉ.૨૩) એ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી વધુત તપાસ હાથ ધરી છે

