મોરબીના રંગપર નજીક નિંદ્રાધીન અવસ્થામાં યુવાનનું મોત

 

રંગપર નજીક રહીને મજુરી કામ કરતા યુવાનનું નિંદ્રાધીન અવસ્થામાં મોત થયું હતું રાત્રીના સુતા બાદ સવારે ઉઠ્યા ના હતા અને મોત થયું હતું બીમારી સબબ યુવાનનું મોત થયાનું જાણવા મળ્યું છે

 

મૂળ તીરુવંતપુરના વતની હાલ મોરબીના રંગપર ગામની સીમમાં જયશક્તિ હોટેલ કમ્પાઉન્ડમાં રહેતા ગોપાકુમાર રાઘવ નાયર નામના યુવાન ગત તા. ૨૩ ના રાત્રીના સુઈ ગયા હતા અને સવારના યુવાન જાગ્યા ના હતા અને મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ યુવાનનું મોત બીમારી સબબ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે

Leave A Reply

Your email address will not be published.