શ્રી મહર્ષિ દયાનંદ સરસવતી સ્મારક ટ્રસ્ટ ટંકારા ખાતે પવિત્ર શ્રાવણ માસમાં શ્રાવણ સુદથી શ્રાવણ વદ અમાસ સુધી દરરોજ યજુર્વેદ શતક્રમ યજ્ઞ નિયમિત કરવામાં આવ્યો હોય ઉપરાંત દરરોજ ભંડારો યોજવામાં આવ્યો હતો
શ્રી મહર્ષિ દયાનંદ સ્મારક ટ્રસ્ટ દ્વારા યજુર્વેદ શતક્રમ યજ્ઞના પુર્ણાહુતી પ્રસંગે યજ્ઞ આચાર્ય રામદેવજીના આચાર્યપદે કરાયેલ આ પ્રસંગે ટ્રસ્ટી હસમુખભાઈ પરમાર, વિનોદભાઈ, પ્રભુલાલ કમરિયા, ભવાનભાઈ ભાગિયા, બીપીનભાઈ પ્રજાપતિ અને ભંડારાના યજમાનોએ યજ્ઞમાં ભાગ લીધો હતો આચાર્ય રામદેવજી તથા વ્યવસ્થાપક રમેશભાઈ મહેતા દ્વારા યજમાનોનું સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમાં ઉપદેશક વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિતના જોડાયા હતા અને યજ્ઞનો લાભ લીધો હતો