



હરીપર કેરાળા ગામ નજીક કેનાલના પાણીમાં ડૂબી જતા ૫૦ વર્ષીય મહિલાનું મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના હરીપર કેરાળા વાડી વિસ્તારના રહેવાસી રેખાબેન લક્ષ્મણભાઈ (ઉ.વ.૫૦) નામની મહિલા ગત તા. ૧૯ ના રોજ રાત્રીના ૯ વાગ્યા પહેલા હરીપર કેરાળા ગામ પાસે આવેલ કેનાલમાં ડૂબી જતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે