મોરબી:ગુરુપૂર્ણિમા નિમિત્તે ઠેર ઠેર ભાવ ભક્તિથી ઉજવણી થઇ રહી છે. ત્યારે મોરબીના રામધૂન આશ્રમ ખાતે સંતભોજન, કુમારિકા પૂજન, વ્યાસપૂજન, પ્રકૃતિ પૂજન સહિતના કાર્યકમો યોજાયા હતા. ભાવેશવરીબેનના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે મોરબી તેમજ અન્ય ગામોના ભક્તોએ બાલવિદુષી રતનબેનના સત્સંગનો લાભ લીધો. ધાર્મિક પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો, આશ્રમના મનસુખભાઇ, ધીરુભાઈ, છગનબાપા, નરસીબાપા, અંબારામભાઈ, અશ્વિનભાઈ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી