મોરબી ગાયત્રી પરિવાર દ્વારા જુદી-જુદી સ્કુલોમાં પુસ્તક મેળાનું આયોજન કરવાનું અને એક મહિના સુધી પુસ્તક મેળાને કાર્યરત રાખવાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આજ રોજ ગાયત્રી પરિવાર અને નવજીવન વિધાલય ના સંયુકત ઉપક્રમે તા.૪ અને ૫ એમ બે દિવસીય પુસ્તક મેળા નુ આયોજન નવજીવન સ્કુલ ખાતે સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૨ થી ૫ સુધી ચાલુ રહેશે.તો દરેક વાલીને નવજીવન સ્કુલ તરફથી આ પુસ્તક મેળાનો લાભ હાર્દિક નિમંત્રણ આપવામાં આવ્યું છે.