મોરબી શહેરના ત્રિલોકધામ મંદિર ખાતેના શનિદેવ નવગ્રહ મંદિર ખાતે તા. ૦૪ ને શનિવારે અમાવસની વિશેષ ઉજવણી કરવામાં આવશે
તા ૦૪ ને શનિવારે અમાવસ મહાસંયોગ થતો હોય,ગમે તેવી પનોતી, સાડા સાતી અને અઢી વર્ષની પનોતીમાં રાહત મળે છે તથા ગ્રહ દોષ હોય તો તે પૂજન, અર્ચન, દર્શન કરવાથી તેમજ નવગ્રહ ભગવાનને પ્રદક્ષિણા કરવાથી અને શનિદેવને તેલ ચડાવવાથી તેમજ રાશી મુજબ દાન કરવાથી સુખ શાંતિ અને આરોગ્ય તેમજ ધન સંપદાની પ્રાપ્તિ થાય છે જેથી અમાવસના મહાસંયોગના દિવસે ભક્તોને દર્શન માટે પધારવા શ્રી ત્રિલોકધામ શનિદેવ નવગ્રહ મંદિર મોરબીના ટ્રસ્ટીઓએ નિમંત્રણ પાઠવ્યું છે