મોરબી-ટંકારામાં આપઘાત અને અપમૃત્યુના બનાવોમાં ચારના મોત

 

મોરબી તાલુકા અને ટંકારા તાલુકામાં આપઘાત અને અપમૃત્યુના ચાર બનાવોમાં ચાર વ્યક્તિના મોત મામલે પોલીસે તપાસ ચલાવી છે

 

પ્રથમ બનાવમાં મોરબીના ઘૂટું ગામની સીમમાં હોલો સેનેટરીના ક્વાર્ટરમાં રહીને કામ કરતા ચંદન અરુણભાઈ પાત્રા (ઉ.વ.૨૫) નામના યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરમાં ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું બીજા બનાવમાં મોરબીના અણીયારી ગામે રહેતા જયંતીભાઈ લાલજીભાઈ બાવરવા (ઉ.વ.૫૯) વાળાના પત્ની પેરાલીસીસની બીમારીથી પીડાતા હોવાથી હલનચલન કરી સકતા ના હતા જેની ચિંતા હોવાથી મનોમન લાગી આવતા જયંતીભાઈએ પોતાની જાતે ઘરના રસોડામાં છત પરના હુકમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો

 

ત્રીજા બનાવમાં મોરબીની સરકારી હોસ્પીટલમાં ક્રિષ્ના રાજેશભાઈ સોલંકી (ઉ.વ.૦૯) નામની બાળકીને ઉલ્ટી ઉબકા આવતા હોવાથી સારવાર માટે દાખલ કરવામાં આવી હતી અને બાળકીનું મોત થયું હતું ચોથા બનાવમાં મૂળ મધ્યપ્રદેશ હાલ ટંકારાના મોટા ખીજડીયા ગામની સીમમાં વાડીએ રહીને મજુરી કરતા અનિલભાઈ રમેશભાઈ પંચોલી (ઉ.વ.૨૫) નામના યુવાને પોતાની જાતે કોઈ કારણોસર ઝેરી દવા પી લેત સારવાર માટે ટંકારા બાદ વધુ સારવાર માટે રાજકોટ રીફર કર્યા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીએ મૃત જાહેર કર્યા હતા મોરબી અને ટંકારા પોલીસે ચારેય બનાવો મામલે વધુ તપાસ ચલાવી છે

 

Leave A Reply

Your email address will not be published.