મોરબીમાં ગુરુનાનક જયંતીની સિંધી સમાજ દ્વારા ઉજવણી, Video

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

        ગુરુનાનક દેવ સાહેબજીનું મહાન ગુરુ પરબ ૫૫૦મો પ્રકાશ દિવસ આગામી તા. ૧૨ ના રોજ યોજાનાર છે ત્યારે વિવીધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારના ૪ કલાકે પ્રકાશ સાહેબ, નીતનેમ, આશાદિ વાર –કીર્તન અને સવારે ૫:૩૦ કલાકે અમ્રિતવેલાની અરદાસ થશે.તેમજ સવારના ૧૦:૩૦ કલાકે કીર્તન, બપોરના ૧૨ કલાકે લંગર પ્રસાદ-અખૂટ લંગર પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પર્વ પર સાંજે ગુરુનાનક સાહેબની શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તેમજ રાત્રીના વિનુભાઈ જાંગીયાણી જામનગરવાળા ભગત સાહેબનો કાર્યક્રમ અને રાત્રે ૧:૨૦ કલાકે શ્રી ગુરુનાનક દેવ સાહેબના જન્મ સમયે ફૂલોની વર્ષા-આતિષબાજી અને રાત્રે ૨ કલાકે સમાપ્તિ સમયે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું 

Comments
Loading...
WhatsApp chat